સર્વ ઈતિહાસ નો સિદ્ધાંત | Sarv Etihas No Siddhant | Gangasati Bhajan Lyrics

0
https://amzn.to/46sNAa0
સર્વ ઈતિહાસ નો સિદ્ધાંત એક છે
સમજવી સદગુરુ કેરી શાન રે
વિપત્તિ આવે પણ વૃતિ ના ડગાવવી
મેલી દેવું અંતરનું મન રે ..
પ્રખ્યાતી તો પાનબાઈ એવા ની થઈ છે
જેને શીશ ને કર્યા કુર્બાન રે
વિપત્તિ તો એના ઉરમાં નવ આવે
જેને મહારાજ થયા મહેરબાન રે ..
શીશ તો પડે જેના ધડ નવ રહે
જેને સાચો રે માંડ્યો સંગ્રામ રે
પોતાનું શરીર જેને વ્હાલું નવ કીધું
ત્યારે રીઝે આતમ રામ રે ..
ભક્તિ વિના ભગવાન રીઝે નહિ
ભલે કોટી કરે ઉપાય રે
ગંગાસતી એમ બોલીયા રે પાનબાઈ
આપદા ભક્તિ વિના નવ જાય રે ..
Sarv Itihas No Siddhant Lyrics
Gangasati Panbai Bhajan Lyrics

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version